Posts

Showing posts with the label Articles - Gujarati

ઇંતજાર

મને કોઈક ઉદાસ પળે  તારી યાદ,તારી કમી અચાનક જ સાલે છે. મન અતિશય વ્યગ્ર બને છે અને નજર ના દરેક નજારા  તારી તસ્વીર ને શોધવા માંડે છે. એ જાણવા છતાં કે તું અહી નથી,  ક્યાંય  પણ નથી  પણ છતાં તું તો છે જ ! આ દુનિયામાં  કોઈક ખૂણે મારી યાદ ,લાગણી ,મારા શબ્દો , મારી પૂજા ,પ્રાર્થના ,અર્ચના તારા સુધી  સ્વપ્નારૂપે પહોંચતી  જ હશે ને ! અને ના પણ  પહોંચે તો પણ શું છે ?તારું સ્મરણ તો મારું જીવંત સ્વપ્ન છે.એ સ્વપ્ન  કે જે કાલ્પનિક હોવા છતાં વાસ્તવિક છે ,જે મને ઉપસ્થિત દુનિયામાંથી તારી યાદોની, સ્વપ્નોની દુનિયા  માં  લઇ જ જાય છે ને !            પણ છતાં આ દિલ ,મારું મન માનવા તૈયાર નથી કે તું સાચે જ નથી.પોતાની જાતને મનાવવા માટે લખાયેલ મારી કવિતાઓમાં ,એ લેખો માં તું તારું પ્રતિબિંબ પાડી  જાય છે.એ  સહુ ભાવોમાં , એ અર્થ માં તું  જ સમાયેલો છે .છાનુંછુપનું  છે  તારું સ્મરણ ! એથી શું કોઈ નહીં  માને  કે મારામાં તારું અસ્તિત્વ સમાયેલું નથી           ...

મારી વ્યથાની કથા

ગમે એટલું ઇચ્છવા છતાં હું પોતાની મંઝિલ  નક્કી કરી શકતી  નથી.કોઈક નાની કે મોટી વાત હોય હું એને એટલી ગંભીરતાથી  લઉં છું કે પછી કોઈ પણ વાતમાં નિરાકરણ જ લાવી શકતી  નથી. હા- ના  નો મારો એ નિર્ણય જેમાં હું પોતે અટવાયા કરું છું ,અને એટલેજ લઘુતાગ્રંથી અથવા તો આત્મવિશ્વાસ ના અભાવથી હું પીડાતી પણ રહું છું. પછી એ ચક્ર ચાલ્યા જ કરે છે  ચિડાવું બીજા પર ગુસ્સે થવું, પોતાને બધાથી જુદા પાડવું ,અલગ ગણવું----વગેરે -----!             હું શેની ,કોની શોધમાં છું ?એ જ મને સમજાતું નથી મારે શું કરવું છે ,મેળવવું છે ,એ વિચારોમાં મારું મગજ એ રીતે સુન્ન થઇ ગયું છે કે બસ એથી વધુ હું કઈ વિચારી જ  શકતી  નથી.ના કંઈ  શોધી શકું છું ,ના ક્યાંય  સ્થિર રહી શકું છું.બધા પોતપોતાની રીતે એનો  અર્થ કાઢે છે અને મને પોતાના વિચારોમાં બાંધવા માંગે છે પોતાની જેમ બનાવવા માંગે છે અને એટલે જ હું કોઈને ન્યાય કરી શકતી  નથી કોની સાથે કેમ વર્તવું ,કેવી રીતે વર્તવું એ વિચારી શકતી  નથી. નક્કી જ કરી...

વિચાર કણીકા !!!

વિચારો પર કોઈનું વર્ચસ્વ નથી,કારણ કે મનુષ્ય ઘડીકવારમાં સારાનરસા વિચારોનું ઘર બાંધી બેસે છે.જોકે દરેક વ્યક્તિ આવી જ હોય એવું  પણ નથી ,અમુક અપવાદ હોય છે.મારા વિચારો ઘણા જુદા છે. હું એવું નથી માનતી કે મારા સ્વજનો મારા વિચાર ને પરાણે સ્વીકારે ...વિચારો કે બંધનો કોઈ ના ઉપર લાદવા ન જોઈએ જો કોઈને પોતાના વિચારોથી અંજાવવા  હોય તો તેવી વાણી અને તેવું વર્તન કેળવવું જોઈએ બીજું એ કે આપણને બીજા માટે યોગ્ય રીતે અનુભવતા વિચારો 'યોગ્ય ' જ હોવા જોઈએ              આપણી  રીતે આપણે સાચા હોવા જોઈએ દરેક ને જેમ પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ છે તેમ સ્વતંત્ર અલગ વિચારો પણ હોવા જરૂરી છે ,જે માનીએ તે આપણા  સુધી જ સીમીત  રહે એ વધુ સારું ! પોતે પણ બીજાના વિચારો જાણવા સમજવા આવશ્યક છે ,કોઈને તેમના વિચારો બદ્દલ અયોગ્ય ન કહેવું ,મનમાં જ રાખવું પોતાને જ સાચું લાગે છે તે પોતે કરવું પણ બીજા તેવું કરે એવી ઈચ્છા ન રાખવી